For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ પ્રભાસ પાટણ પાલિકાની ઘોર બેદરકારીથી પીવાના નળમાં ભળે છે ગટરનું પાણી

11:54 AM Sep 24, 2025 IST | Bhumika
સોમનાથ પ્રભાસ પાટણ પાલિકાની ઘોર બેદરકારીથી પીવાના નળમાં ભળે છે ગટરનું પાણી

વિગત એમ છે કે પ્રભાસ પાટણમાં રામરાજ ચોકમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનો વાલ્વ આવેલ છે જે જમીનથી નીચેની સપાટીએ છે જેને કારણે આજુબાજુના વિસ્તારની ઘટનાઓના ગંદા પાણી છલકાઈ જાય છે ત્યારે તે પાણી ઢોળાવવાને કારણે વાલ્વના હોલમાં પહોંચે છે અને આમ પીવાના અને ગટરના ગંદા ગોબરા પાણીનો ખરાબ સંગમ થાય છે.

Advertisement

પાઇપ દ્વારા તે પાણી ઘર ઘર સુધી પહોંચતું હોવાથી લોકો બીમાર અને સ્વાસ્થય કથડે છે નગરપાલિકાને આ બધી વાતની જાણ છે કે આમ છતાં વાલને ગટરના પાણીના ઢોળાવથી ઊંચો લાવવા કોશિશ કરતા જ નથી કે ગટર ના પાણી ના આવે તેવી વ્યવસ્થા કરતા નથી ગામ રોગચાળાના ભરડામાં પીસાઈ તે પહેલા નગરપાલિકાએ જાગવું જોઈએ

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement