ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ

05:49 PM Feb 20, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન મનપાની હદમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આગામી તા. 26-2-2025ને બુધવારના રોજ મહાશિવરાત્રી નિમિતે તમામકતલખાનાઓ બંધ રાખવા આદેશ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાના ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

તેમ જણાવવામાં આવ્યું છે.
આગામી મહાશિવરાત્રી નિમિતે તા. 26ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાકવા ફરમાન કરેલ છે. જેમાં સબંધ કર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ 1949 કલમ 329 અને 336 તથા વેચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધ કર્તા તમામે ગંભીર નોંધ લેવી.

 

Tags :
gujara newsgujaratMahashivratrirajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement