શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવા આદેશ
04:54 PM Jul 26, 2025 IST
|
Bhumika
Advertisement
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી દર સોમવારે કતલખાના બંધ રાખવા મનપા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી હુકમ કરવામાં આવ્યો છે.
Advertisement
આગામી તા. 28-7-2025, તા. 2-8-2025, તા. 11-8-2025 તથા તા. 18-8-2025ના રોજ શ્રાવણ માસના સોમવાર નિમિતે તથા તા. 16-8-2025ના રોજ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 તથા વેચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાન બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.
Next Article
Advertisement