ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટડીના ઘાસપુરમાં ભાઇના વિરહમાં બહેને ગળું કાપી કર્યો આપઘાત

11:50 AM Apr 19, 2025 IST | Bhumika
Advertisement

દોઢ માસ પૂર્વે ચાર બહેનોના એકના એક ભાઇએ આત્મહત્યા કર્યા બાદ માવતરે આંટો ગયેલી હરીપરની પરિણીતાએ પગલું ભર્યુ

Advertisement

પાટડીના તાલુકાનાં ઘાસપુર ગામે માવતરે આટો મારવા આવેલી ધ્રાંગધ્રાનાં હરીપર ગામની પરણીતાએ દોઢ વર્ષ પુર્વે ચાર બહેનોનાં એકનાં એક ભાઇએ કરેલી આત્મહત્યાનાં વિરહમા બહેને પોતાની જાતે છરી વડે ગળુ કાપી આપઘાત કરી લીધો હતો. પરણીતાનાં મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રાનાં હરીપર ગામે રહેતી મિનાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ. 42) નામની પરણીતા 3 દિવસ પૂર્વે પાટડીના ઘાસપુર ગામે રહેતા પિતાનાં ઘરે હતી ત્યારે બાથરૂમમા પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દેતા લોહી લુહાણ હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા તેણીનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક પરણીતાને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. દોઢ માસ પુર્વે મીનાબેન રાઠોડનાં 4 બહેનોનાં એકનાં એક ભાઇએ આત્મહત્યા કરી હતી. બાદમા મીનાબેન રાઠોડ માવતરે આટો મારવા જતા ભાઇનાં વિરહમા ગળુ કાપી જીવન ટુંકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ધ્રાંગધ્રા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .

Tags :
gujaratgujarat newsPatdisuicide
Advertisement
Next Article
Advertisement