ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોત

01:03 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિશાલ અંસારીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

Advertisement

ઈડર પંથકના વતની ડો. વિશાલ અંસારી સિકલસેલ રોગથી પણ પીડિત હતા. આ લોહી સંબંધિત બીમારી હિમોગ્લોબિનના પ્રમાણને અસર કરે છે. અગાઉ બે વખત સિકલસેલને કારણે તેમને સારવાર લેવી પડી હતી.
તાજેતરમાં તેમને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો. સારવાર ચાલુ હતી ત્યારે તેમનું દુખદ અવસાન થયું છે. આ ઘટનાથી તબીબી જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઈડર વિસ્તારમાં સિકલસેલ રોગનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે છે.

Tags :
deathgujaratgujarat newsJamnagar Civil Hospitaljamnagar news
Advertisement
Next Article
Advertisement