ખીરસરામાં શ્રમિક સગીરાએે ઝેરી દવા પી કર્યો આપઘાત
મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીએ બિમારીની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડી
શહેરની ભાગોળે આવેલા ખિરસરા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી લખીબેન કેનસીંગ મહેડા નામની 16 વર્ષની સગીરા વાડીએ હતી ત્યારે રાત્રીના સમયે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મુળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં હત્યાના કેસમાં સંડોવાયેલા અને હાલ રાજકોટ સેન્ટ્રલઝોલમાં કાચાકામના કેદી તરીકે રહેલા રોહિત દિલીપભાઈ સોમલો નામના 22 વર્ષના કેદીએ કોઈ અગમ્ય કારણસર બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. કેદીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.