For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખીરસરામાં શ્રમિક સગીરાએે ઝેરી દવા પી કર્યો આપઘાત

04:44 PM Sep 14, 2024 IST | Bhumika
ખીરસરામાં શ્રમિક સગીરાએે ઝેરી દવા પી કર્યો આપઘાત
Advertisement

મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીએ બિમારીની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડી

શહેરની ભાગોળે આવેલા ખિરસરા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી લખીબેન કેનસીંગ મહેડા નામની 16 વર્ષની સગીરા વાડીએ હતી ત્યારે રાત્રીના સમયે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમાં મુળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં હત્યાના કેસમાં સંડોવાયેલા અને હાલ રાજકોટ સેન્ટ્રલઝોલમાં કાચાકામના કેદી તરીકે રહેલા રોહિત દિલીપભાઈ સોમલો નામના 22 વર્ષના કેદીએ કોઈ અગમ્ય કારણસર બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. કેદીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement