છોટી કાશીમાં ભક્તિભાવ સાથે શિવ શોભાયાત્રા યોજાઇ
જામનગરની લાલ પારિવારિક સંસ્થાઓ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા દેવાધિદેવ મહાદેવના મહાશીવરાત્રી પર્વની ભારે ધુમધામ પુર્વક અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટ્રલ બેન્ક નજીક મહાશિવરાત્રીના પર્વના દિવસે સુંદર અને આકર્ષક ફલોટસ તૈયાર કરવામાં આવ્યો હતો અને ભવ્ય આતાશબાજી સાથે શિવશોભાયાત્રાનું સ્વાગત અને સર્વે ભક્તોજનો માટે સરબત(પ્રસાદ)નું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. નગરમાં યોજાતી પરંપરાગત શિવશોભાયાત્રા ટ્રસ્ટના ફ્લોટસ પર પહોંચતા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઇ લાલ તેમજ જામનગરના મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂરિયા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નીલેશભાઈ કગથરા, જિલ્લા અગ્રણી મુળુભાઈ કંડોરીયા, કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ કોર્પોરેટર પ્રજ્ઞાબેન ગણાત્રા, નિર્મળાબેન કામોઠી તથા જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા તેમજ શહેર ભાજપના હોદે્દારો, સ્થાનિક વેપારીઓ, અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.