રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપરના યુવાને પ્રેમપ્રકરણમાં રાજકોટમાં ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

05:11 PM Sep 12, 2024 IST | admin
Advertisement

પંચવટી પાર્કમાં પરિણીતા અને મુંજકામાં યુવાને બીમારીની વધુ પડતી દવા પી લેતા સારવારમાં ખસેડાયા

Advertisement

શાપર વેરાવળમાં રહેતા યુવાને પ્રેમ પ્રકરણના કારણે કાલાવડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં ભૂમિ ગેટની સામે રહેતા સતીશ ધોળાભાઈ પરમાર નામનો 21 વર્ષનો યુવાન રાજકોટમાં કાલાવા રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલના પાર્કિંગ પાસે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સતીશ પરમાર બે ભાઈમાં મોટો છે અને પ્રેમ પ્રકરણના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં મોરબી રોડ ઉપર પંચવટી પાર્કમાં રહેતી પ્રભાબેન સંદીપભાઈ પાટડીયા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાની માનસિક બીમારીની વધુ પડતી દવા પી જતા તેણીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય બનાવમાં મુંજકામાં આવેલ આદિત્ય હાઈટ્સ બિલ્ડિંગમાં રહેતા આયુષ સંદીપભાઈ શુક્લા નામના 30 વર્ષના યુવાને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણસર બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. યુવકની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsshaparveravalshaparveravalnewssuicide
Advertisement
Next Article
Advertisement