ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન

01:43 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે. ત્યારે ત્યારે બે અલગ અલગ ભકતોએ અંબાજી મંદિરમાં 1.520 કિલો સોનાનું ગુપ્ત દાન આપ્યું છે. જેની કિંમત અંદાજે 1.21 કરોડ રૂૂપિયાથી વધુની છે.

Advertisement

અંબાજીના અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, બે અલગ-અલગ ભક્તો દ્વારા 1.520 ગ્રામ સોનુ ભેટ સ્વરૂૂપે અર્પણ કર્યું છે. એક ભક્ત દ્વારા 1 કિલો અને બીજા માઈભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની ભેટ માતાના ચરણોમાં અર્પણ કરાઈ છે. દાનમાં મળેલા આ સોનાનો સુવર્ણ શિખર માટે ઉપયોગ કરાશે. સુવર્ણ દાન કરનાર બંને દાતાઓએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતુ એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિો માતાના દર્શને રોજબરોજ આવતા હોય છે.

Tags :
ambajiAmbaji templedonationgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement