ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉનાના માણેકપુર ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં અડીંગો જમાવ્યો

11:54 AM Jun 07, 2025 IST | Bhumika
Advertisement

ઉના તાલુકાના દરીયાઇ કિનારે આવેલું પાંચ હજાર થી વધું વસ્તી ધરાવતા માણેકપુર ગામે છેલ્લા 20 દિવસ થી પાણી ની સમસ્યા સર્જાઈ છે પરંતુ પાણી પુરવઠા જુથ નાં અધિકારી કર્મચારીઓ આ સમસ્યા નો ઉકેલ નહીં લાવતાં હોવાનાં કારણે લોકો ગ્રામપંચાયત નાં કુવા નું ખારૂૂં પાણી પીવા મજબૂર બન્યા છે.

Advertisement

પાણી બહાર થી લાવવું પડે તેવી સ્થિતિ વચ્ચે ઉના પાણી પુરવઠા જુથ યોજના ની કચેરી નાં નરાઢોર બનેલાં તંત્ર ને જગાડવા જાસી ની રાણી બની આવેલાં માણેકપુર ગામ નાં મહિલા સરપંચ ભાવુબેન રાઠોડ એ સવાર પડતાં ની સાથેજ પોતાના બે નાનાં બાળકો અને પતિ સાથે 20 કી મી દુર થી જુનાં કપડાં નાં પોટલાં અને પાણી ભરવા નાં બૈડા સાથે ઉના પાણી પુરવઠા જુથ યોજનાં ની કચેરી માં આવીને પાણી આપવાની જીદ સાથે ધરણાં ઉપર બેસી ગયાં હતા.

આ વાત તંત્ર નાં કર્મચારી એ અધિકારીને પહોંચાડતા તંત્ર દોડતું થયું. મિડીયા પણ પહોંચ્યું જ્યાં સુધી માણેકપુર ગામે પાણી નહીં પહોંચે ત્યાં સુધી પોતે કોઈ પ્રકાર નું પાણી અનાજ પણ મોંઢે નહીં લે તેવી ચીમકી આપતા જ માણેકપુર ગામ ને પાણી આપવાનું શરૂૂ કર્યું હતું.પરિવાર સાથે કચેરી નાં દરવાજે ધામા નાખીને પોતાનાં પાંચ દિવસ થી સ્નાન નહીં કરેલાં બાળકો ને કચેરી માં આવતાં નળ માંથી પાણી ભરીને અધિકારી સામે સ્નાન કરાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsUnaUna news
Advertisement
Next Article
Advertisement