રૂખડિયાપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
05:00 PM Aug 12, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
પત્ની ઘરે આવી ત્યારે પતિ લટકતો’તો
રાજકોટ જેલની પાછળ રૂખડીયાપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતા રમેશભાઇ રઘુભાઇ દુધકીયા (ઉ.વ.42)એ ગઇકાલે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોવા મળતા દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી રાજેશભાઇ પાલીયાએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી.
જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એસ. ભગોરા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.મૃતક રમેશભાઇ ડ્રાઇવીંગ કરતા હતા. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.
Next Article
Advertisement