For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ એસ.ટી. બસપોર્ટ મેનેજર સહિત 36 અધિકારીઓની બદલી

05:52 PM Feb 01, 2024 IST | Bhumika
રાજકોટ એસ ટી  બસપોર્ટ મેનેજર સહિત 36 અધિકારીઓની બદલી

લાંબા સમય બાદ ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાન રાજકોટ એસ.ટી. બસપોર્ટ મેનેજર સહીત રાજયભરમાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટ એસ.ટી. બસપોર્ટના મેનેજર કે.એમ. ભટ્ટને પ્રમોશન સાથે ભાવનગરમાં ડિવિઝનલ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમના સ્થાને જુનાગઢ ડિવિઝનલ મિકેનિકલ એન્જીનીયર તરીકે કાર્યરત જે.એચ. ચગને પ્રમોશન સાથે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, સાવરકુંડલા અને મહુવા સહીતના ડેપો અને ડિવિઝનના અધિકારીઓ અને ઇજનેરોની બદલી કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જીનીયર તરીકે કાર્યરત એમ.બી. રાવલને જુનાગઢ કાર્યકારી નિયામક તરીકે અને અમરેલી ડેપો મેનેજર વી.એચ. નથવાણીને સાવરકુંડલા ડેપો મેનેજર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. હજુ બદલીના વધુ ઓર્ડર નિકળવાની સંભાવના છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement