રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટૂ-વ્હિલર અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુદર રાજકોટમાં

04:05 PM Sep 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હેલ્મેટનો વિરોધ કરવાનું ભારે પડયું, વસતી ઓછી છતાં સુરત કરતાં બમણો મૃત્યુદર

ગુજરાતે સપ્ટેમ્બર 2019માં કડક હેલ્મેટ કાયદા અપનાવવાને કારણે ખાસ કરીને રાજકોટ તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં, તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે રાજકોટ હવે ગુજરાતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ દર ધરાવે છે, જે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોને પણ પાછળ છોડી દે છે.

સપ્ટેમ્બર 2019 માં, ગુજરાત સરકાર ટુ-વ્હીલર સવારો માટે ફરજિયાત હેલ્મેટ નિયમનું પાલન ન કરનારા લોકો માટે વધુ દંડ સાથે કેન્દ્રના સુધારેલા મોટર વાહન અધિનિયમને અપનાવનાર પ્રથમ રાજ્યોમાંનું એક બન્યું. જો કે, આ પગલાનો રાજ્યભરમાં વ્યાપક વિરોધ થયો છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના વતન રાજકોટમાં હેલ્મેટ નિયમનો વિરોધ સૌથી વધુ ઉઠયો હતો.

ત્રણ મહિના પછી, નાગરિકોના વિરોધને પગલે સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ નિયમને અટકાવી દીધો હતો.હવે, એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે રાજકોટ, જે ફરજિયાત હેલ્મેટના નિયમનો વિરોધ કરવામાં મોખરે હતું, તે ગુજરાતનું સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ દર ધરાવતું શહેર છે અને ઘણા મોટા શહેરો કરતા પણ આગળ છે.

ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, દિલ્હી દ્વારા પરોડ સેફ્ટી ઈન ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ 2023થ અનુસાર, રાજકોટ શહેરમાં દિલ્હી, અમદાવાદ જેવા ઘણા મોટા શહેરોની સરખામણીમાં લાખની વસ્તી દીઠ માર્ગ અકસ્માતમાં મૃત્યુદર વધુ છે.

દિલ્હી કરતા દસમા ભાગ અને અમદાવાદ કરતા એક ચતુર્થાંશ વસ્તી હોવા છતાં રાજકોટનો મૃત્યુદર પ્રતિ લાખ 9.7 છે, જે વડોદરા (7.4), અમદાવાદ (5.5) અને સુરત (5.5) જેવા ગુજરાતના અન્ય શહેરોને પણ પાછળ છોડી દે છે. દિલ્હીમાં એક લાખ વસ્તી દીઠ 6.9, હૈદરાબાદ 3.4, ગ્રેટર મુંબઈ 2.4 અને કોલકાતામાં 1.6નો માર્ગ અકસ્માત મૃત્યુ દર છે. અહેવાલ મુજબ, સૌથી વધુ મૃત્યુદર ધરાવતા પાંચ શહેરોમાં આસનસોલ (22.9), લુધિયાણા (21.4), વિજયવાડા (20.7), અલ્હાબાદ (19.8) અને જયપુર (19.1)નો સમાવેશ થાય છે, જેમાં પ્રતિ લાખ વસ્તી દીઠ સરેરાશ 21 મૃત્યુ દર છે.

આ અભ્યાસ 2019 અને 2021 માટે (ગઈછઇ) રિપોર્ટ પર આધારિત છે, જેમાં 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા 53 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2021 માં, આ 53 શહેરોમાં 13,384 મૃત્યુ થયા હતા, જે શહેરી વિસ્તારોમાં માર્ગ મૃત્યુના 29%નું પ્રતિનિધિત્વ કરે છે.

અહેવાલમાં જણાવાયું છે કે મોટા શહેરોમાં ઓછા મૃત્યુ દરનું એક સંભવિત કારણ ટ્રાફિકની ભીડને કારણે ઓછી વાહનોની ઝડપ હોઈ શકે છે. રાહદારીઓના મૃત્યુની સંભાવના 30 કિમી પ્રતિ કલાકની ઝડપે 10% થી ઓછી અને તેનાથી વધુ હોવાનો અંદાજ છે. જે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે 80% હોય છે.

રાજકોટના નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે જીવલેણ રોડ એકસીડેન્ટમાં શહેરમાં ગત વર્ષની સરખામણીમાં ડેન્ટ્સ ઓછા થયા છે.પોલીસ, ગઇંઅઈં, અને છઝઘ અધિકારીઓ દ્વારા શહેરની બહારના વિસ્તારોના રસ્તાઓની ચકાસણી કરવા અને જરૂૂરી રોડ એન્જિનિયરિંગ સુધારાઓ માટે એજન્સીઓને નોટિસ આપવા સહિત અકસ્માતોને વધુ ઘટાડવા માટે ટ્રાફિક વિભાગ વિવિધ પગલાં અમલમાં મૂકી રહ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstwo-wheeler accidents
Advertisement
Next Article
Advertisement