રાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશે
વેપારીઓનાં હિતને લઇ લડવાનો દાવો કરતી રાજકોટની બે મહાજન સંસ્થાઓની આંતરિક લડાઇ સપાટી પર આવી છે અને રાજકોટ ેચેમ્બરને નોંધણી માટે કલીન ચીટ મળી હોવાનો ઘાટ સર્જાયો છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝને રજીસ્ટ્રેશન કરાવવુ હશે તો ગ્રેટર ચેમ્બરની મંજુરી ફરજીયાત લેવી પડશે.
રાજકોટ શહેર ખાતે આવેલી જુદી જુદી વેપારી સંસ્થાઓમાં સંરચનાત્મક અનેક પ્રવૃતિઓ ચાલતી રહે છે.
રાજકોટની વેપારી સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખુબ જ જુની સંસ્થા તરીકે પ્રતિષ્ઠીત લોકો જેવા કે, જમીયતરામ મોદી, પ્રાણલાલભાઇ જોષી, ઉમાંકાતભાઇ પંડીત, ચંદુભાઇ કોઠારી જેવા પ્રતિષ્ઠીત વેપારીઓ દ્વારા સ્થપાયેલ. અને મધુભાઇ શાહ, પ્રવિણભાઇ પુંજાણી તથા જયંતભાઇ દેસાઇ જેવા પ્રતિષ્ઠીત આગેવાનો દ્વારા વર્ષો સુધી સંચાલન કરવામાં આવેલ અને રાજકોટના વેપાર ઉદ્યોગનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં અગ્રેસર રહેવામાં સંસ્થા તરીકે સ્થાન ધરાવતી હતી.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંસ્થા બીનઅનુભવી લોકો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ હોય, અનેક મુળભુત બાબતોને ધ્યાને લીધા વગર બંધારણમાં ફેરફાર કરવા અને હાલના પદાધિકારીઓને મંચ પર ચોટી રહેવા બંધારણમાં ફેરફાર કરવા પ્રયત્ન થઇ રહેલ છે. આ પ્રયત્ન વિશે છેલ્લા થોડાક સમયથી ધમધમાટ ચાલી રહેલ હોય, નવા બંધારણનો મુસદ્દો કેટલાક સ્થાપિત હિતોને ધ્યાનમાં રાખીને બનાવવાના આશયથી તૈયાર કરવામાં આવેલ.
આ બંધારણીય મુસદ્દો સામાન્ય સભામાં પાસ કરાવવાનો હોય, માત્ર પોતાના મળતીયા સભ્યોને હાજર રાખી થોડા સમય પહેલા બંધારણ મંજુર કરાવી રજીસ્ટ્રાર ઓફ ટ્રસ્ટ રજુ કરી બંધારણ માન્ય કરાવી સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવા પ્રયત્ન કરેલ છે.
આ પ્રયત્નમાં પણ અરજદાર રાજકોટ ચેમ્બરના પદાધિકારીઓ કયા કાયદા નીચે બંધારણનું એટલે કે સંસ્થાનું રજીસ્ટ્રેશન નક્કી કરી શકયા નથી અને દુવિધામાં રાજકોટ ચેમ્બરને ટ્રસ્ટ એકટ નીચે રજીસ્ટ્રેશન કરાવવા અરજી કરેલ છે.
આ અરજીમાં અનેક વિસંગતતા રહેલી હોય, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિસંગતતા બાબતે અને સમાન હેતુએ કામ કરતી ભળતા નામની સંસ્થા હોય, વાંધો રજુ કરવામાં આવેલ તેમજ રાજકોટ ચેમ્બરના હિતેચ્છુ સભ્યો તરફથી પ્રતિનિધિરૂૂપે સંજય લાખાણી દ્વારા પણ વાંધો લેવામાં આવેલ.
આમ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર કાર્ય કરતી સંસ્થા તરીકે જાહેર થવાની બીક લાગતા તાજેતરની ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છેલ્લી મુદતમાં તેમને પોતાની ભુલ સમજાય અને ડર લાગતા પોતાની રજીસ્ટ્રેશનની કાર્યવાહી અંગેની અરજી પરત ખેંચવા માટે લેખીત રજુઆત કરતા, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વકીલ દ્વારા રજીસ્ટ્રાર ઓફ ટ્રસ્ટની કોર્ટને આ સંસ્થા આવી રીતે વારંવાર ખોટી અરજીઓ કરી અમોને હેરાનગતી કરી ખર્ચના ખાડામાં ઉતારતી હોય, હવે ભવિષ્યમાં સંસ્થા દ્વારા ફરી રજીસ્ટ્રેશન કરવા અરજી કરવામાં આવશે નહી અને કરવામાં આવે તો અમોને પ્રથમ જાણ કરી મંજુરી લેવાની રહેશે. તેવી શરત હેઠળ હાલની અરજી પરત ખેંચવા એન.ઓ.સી. આપેલ.
જેથી હાલની અરજી નામોશીભરેલ હારનો ડર લાગતા પરત ખેંચી લેવામાં આવેલ છે. આ સત્ય જાહેર કરવા અને સંસ્થાના સભ્યોને તથા વેપારી આલમને સત્યની જાણ થાય તે ઉદ્દેશથી પ્રયોજન થયેલ છે તેની ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.