ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નવરાત્રિના પ્રારંભ સાથે જ 23 જિલ્લામાં વરસાદની આગાહી, ખેલૈયાઓ ચિંતામાં

11:47 AM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

વરસાદની આગાહીની સાથે ગુજરાતભરમાં આસો નવરાત્રીની શરૂૂઆત થઈ ગઈ છે. ત્યારે વરસાદ પડતા સોમવારે નવરાત્રિના પહેલા દિવસે શહેરમાં ગરબા યોજાશે કે કેમ તે બાબતે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. રવિવારે અનેક વિસ્તારોમા વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે, આજે વરસાદ ગરબા કરવા દેશે કે નહીં?

Advertisement

રવિવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27મી સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે થન્ડરસ્ટ્રોમની આગાહી આપવામાં આવી છે. આગામી 24 કલાક ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. આ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 22મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રીના પહેલા દિવસે સુરત, નવસારી, વલસાડ તાપી, ભરૂૂચ અને નર્મદામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ સાથે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.

આવતીકાલે 23મી તારીખે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.

Tags :
gujaratgujarat newsNAVRATRIRain forecast
Advertisement
Next Article
Advertisement