રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેર નજીક ટ્રક અકસ્માતમાં ઘવાયેલા રૈયાધારના યુવાનનું મોત

04:43 PM Jul 19, 2024 IST | Bhumika
oplus_2097184
Advertisement
Advertisement

ત્રણ દિવસ પહેલાં ટ્રક લઇ માલ ભરવા જતો હતો ત્યારે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાયો’તો: એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં શોક

વાંકાનેર તાલુકાના રંગપર નજીક ટ્રક અકસ્માતમાં ઘવાયેલા રૈયાધારના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્રણ દિવસ પૂર્વે ટ્રક લઇ માલ ભરવા જતો હતો ત્યારે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેને ઇજા થઇ હતી. આ બનાવથી એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતિ વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા અને ટ્રક ચલવાતો રવિ ઉર્ફે કાળુ પરસોત્તમભાઇ બેરડીયા (ઉ.વ.32)નામનો યુવાન ગત તા.16ના રોજ ટ્રક લઇ વાંકાનેર તરફ માલ ભરવા માટે જતો હતો. ત્યારે વાંકાનેરના રંગપર ગામે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં રવિને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, બે દિવસની સારવાર કારગત ન નીવેડતા આજે સવારે તેનું હોસ્પિટલના બિંછાને મોત નીપજ્યું હતું. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક એકનો એક ભાઇ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

ક્રિષ્નાપાર્કમાં યુવાનનું આંચકી આવતા મોત
શહેરના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ ક્રિષ્નાપાર્ક શેરી નં.1માં રહેતા અલ્પેશભાઇ જગદીશભાઇ જીજુંવાડીયા (ઉ.વ.38)નામનો યુવાન ગઇકાલે સાંજે મોરબી રોડ સીટી સ્ટેશન પાસે હતો. ત્યારે આંચકી ઉપડતા બેભાન હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement