ધોરાજીમાં ખેડૂત ખાતેદારના વારસોને 20 લાખનો ચેક અર્પણ કરતા રાદડિયા
11:49 AM Jul 03, 2025 IST
|
Bhumika
Advertisement
ધોરાજી શહેરની ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ મનીષભાઈ બચુભાઈ વઘાસીયાનુ અકસ્માતે દુ:ખદ અવસાન થતા રાજકોટ જીલ્લા બેંક દ્વારા લેવાયેલ રૂૂ.10/- લાખ તેમજ મંડળી દ્વારા લેવાયેલ રૂૂ.10/- લાખની વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ કુલ રૂૂ.20/- લાખની વિમાની રકમના ચેક એમના વારસદાર સંગીતાબેન મનિષભાઈ વઘાસીયાને રૂૂબરૂૂ એમના નિવાસસ્થાને અર્પણ કરીને બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયાએ સાંત્વના પાઠવી હતી.આ સમયે જીલ્લા બેંકના ડીરેક્ટર કાંતિભાઈ જાગાણી,માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશન માવાણી,નગરપાલિકાના સદસ્ય નિતિનભાઈ જાગાણી તેમજ મંડળીના પ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી ઉપસ્થિત રહેલ હતા.
Advertisement
Next Article
Advertisement