For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારથી 90 દિવસ સુધી તુવેર-ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી

05:05 PM Mar 15, 2024 IST | Bhumika
સોમવારથી 90 દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી
  • રાજ્યભરમાં 437 કેન્દ્રોમાં થશે ખરીદી, ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી થશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદીશરુ થશે, જે આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

Advertisement

મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂૂ. 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂૂ. 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને રૂૂ. 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂૂ આયોજન હાથ ધર્યું છે, તેમણે ઉમેર્યું હતું. ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂૂ. 7000 પ્રતિ ક્વિ. (રૂૂ. 1400 પ્રતિ મણ), ચણા માટે રૂૂ. 5440 પ્રતિ ક્વિ. (રૂૂ. 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂૂ. 5650 પ્રતિ ક્વિ. (રૂૂ. 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement