For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ ન્યાય યાત્રા યોજાઇ

11:37 AM Sep 11, 2024 IST | Bhumika
કાલાવડ કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ ન્યાય યાત્રા યોજાઇ
Advertisement

કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર અને રાજ્યમાં સરકારી તંત્રની ગુનાહિત ગંભીર બેદરકારીથી થયેલ આઘાતજનક ઘટનાઓ સામે લોકજાગૃતિ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલ રથ સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા ,જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે. ટી. પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દેવદાનભાઈ જારીયા, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી દીપકભાઈ વસોયા, નગરપાલિકાના પૂર્વ સદસ્યઓ મહેશભાઈ વાદી, જીતેશભાઈ માટીયા, દિલીપભાઈ તાળા, વસીમભાઈ કાદરી ,શહેરના પૂર્વ પ્રમુખ રુદ્રદતસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ દેવદાનભાઈ જારીયા,પ્રવીણભાઈ ગઢીયા ,અશોકસિંહ જાડેજા, શહેર મહામંત્રી અલ્પેશભાઈ વેકરીયા, ઋષિરાજસિંહ સોઢા, શહેર ઉપપ્રમુખ કેશુભાઈ રાખોલીયા, એડવોકેટ હનીફભાઈ ધાડા, યુથ પ્રમુખ પ્રયાગભાઈ અજુડીયા, શહેર ઉપપ્રમુખ આશિષભાઈ તળપદા, સેવાદળના પ્રમુખ ચેતનભાઇ ઠેસીયા, ભીખાભાઈ ચંદ્રપાલ, જગદીશભાઈ જારીયા, હારુનભાઈ મલેક, સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ચંદુભાઈ ચૌહાણ, રવિભાઈ શુકલ, સોશિયલ મીડિયાના પ્રમુખ સુનિલભાઈ વાણીયા તેમજ શામજીભાઈ કોળી ગુલાબભાઈ શાહમદાર, સુભાષભાઈ વિરાણી બાબાભાઈ રાંક વગેરે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારઓ આગેવાનઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement