ખંભાળિયાના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
01:46 PM Dec 30, 2023 IST
|
Bhumika
Advertisement
ખંભાળિયામાં હૃદય રોગના કારણે વધુ એક યુવાનનું મોતખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ ડોડીયા (ઉ.વ. 50)ને હૃદય રોગનો હુમલો આવી જતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પત્ની મનીલાબેન ડોડીયાએ અહીંની પોલીસને કરી છે.
Advertisement
દારૂ સાથે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામેથી પોલીસે ભીમાભા મોમૈયાભા માણેક (રહે. મુળવાસર) અને ભગતભા અનુભા સુમણીયા (રહે. રંગાસર)ને રૂપિયા 3,200ની કિંમતની વિદેશી દારૂની આઠ બોટલ તથા રૂપિયા 20,000ની કિંમતના એક મોટરસાયકલ અને રૂપિયા 10,000 ની કિંમતના બે મોબાઈલ સાથે સહિત કુલ રૂપિયા 33,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement