ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત

04:43 PM May 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097152
Advertisement

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. રૈયાધાર સ્મશાન પાસે ઝુપડપટ્ટીમાં રહેતી સકીલા અશ્ર્વિનભાઈ શંગાળા (ઉ.20) નામની સગર્ભા આજે સવારે પોતાના ઝુંપડામાં ચુલા ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં ઝેરી અસર થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

જો કે સારવાર કારગત ન નિવડતાં હોસ્પિટલના બીછાને તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ 20 દિવસ પૂર્વે જ રાજકોટ કામ અર્થે પેટીયુ રડવા આવ્યા હતાં. મૃતકના લગ્ન બે વર્ષ પહેલા થયા હોવાનું અને હાલમાં તેને સારા દિવસો જઈ રહ્યાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement