રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

03:51 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવાગામ વિસ્તારમાં આવેલા દેવનગરના ઢોરે રહેતા ભારતીબેન ઉર્ફે બબીબેન દિલીપભાઈ બાહુકીયા નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘર પાસે તળાવના કાંઠે કપડાં ધોતા હતા ત્યારે અકસ્માતે તળાવમાં પટકાયા હતા. પ્રોઢાને તાત્કાલિક બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મતગકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાના પતિ દિલીપભાઈ બાહુકીયાનું પણ દસ વર્ષ પહેલા ડૂબી જવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મકવાણા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement