For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભગવતીપરાના પ્રૌઢને દારૂનો દૈત્ય ભરખી ગયો

04:09 PM Sep 11, 2024 IST | Bhumika
ભગવતીપરાના પ્રૌઢને દારૂનો દૈત્ય ભરખી ગયો
Advertisement

દારૂૂના દુષણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવવામાં ભગવતીપરાના પ્રૌઢને દારૂૂનો દૈત્ય ભરખી ગયો છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા જુમાભાઇ નરમહમદભાઈ સર્વદી નામના 46 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા. ત્યારે સાંજના ચારેક વાગ્યા અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. જુમાભાઇ સર્વદીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રૌઢ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે જુમ્માભાઈ સર્વદીનું દારૂૂ પીવાની કુટેવના કારણે મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત અન્ય બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા વાલ્મિકી વાસમાં રહેતા રમેશભાઈ ધનજીભાઈ ટીમાણીયા નામના 59 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં શ્વાસની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ ટીમાણીયાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement