For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલેરો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પ્રૌઢનો ભોગ લેવાયો

12:19 PM Sep 14, 2024 IST | admin
બોલેરો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પ્રૌઢનો ભોગ લેવાયો

જોગવડ ગામ પાસે અકસ્માત સર્જાયો

Advertisement

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામ ના પાટીયા પાસે બોલેરો કેમ્પર વેન તથા બાઈક વચ્ચેના અકસ્માતમાં જોગવડ ગામના વતની નરસિંહભાઈ હીરાભાઈ લાઠીયા ને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જોગવડ ગામમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા નરશીભાઈ હીરાલાલભાઈ લાઠીયા નામના 55 વર્ષના નામના પ્રૌઢ ગઈકાલે પોતાનું બાઈક લઈને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

Advertisement

તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે.10 ટી.એક્સ. 3739 નંબરની મહેન્દ્રા બોલેરો ના ચાલકે હડફેટમાં લઈલેતા ગંભીર ઇજા થઈ હતી અને નરસિંભાઈને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાઈક ચાલકના પુત્ર ભાવિન નરસીભાઇએ પોતાના પિતાને ઠોકરે ચડાવી મૃત્યુ નીપજાવવા અંગે જી.જી.10 ટી.એક્સ.3739 નંબરની બોલેરો પીકપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મરનાર નરસિંભાઈ લાઠીયા પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા,જે દરમિયાન હતું બોલેરો ચાલક ઠોકરે ચડાવી અને ભાગી છૂટ્યો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement