For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હત્યા કરાયેલ એડવોકેટના મૃતદેહને અંતે PM કરાવી પરિવારને સોંપતી પોલીસ

12:53 PM Mar 15, 2024 IST | Bhumika
હત્યા કરાયેલ એડવોકેટના મૃતદેહને અંતે pm કરાવી પરિવારને સોંપતી પોલીસ
  • એડવોકેટ હારૂન પલેજાની નિર્મમ હત્યા થઇ’તી

જામનગરના એડવોકેટ હારુન પલેજાની બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરાઈ હતી. ત્યારબાદ તેમના ભત્રીજાની ફરિયાદના આધારે પોલીસે 15 આરોપીઓ સામે પૂર્વ યોજિત કાવતરું ઘડી હત્યાનો અપરાધ નોંધ્યો છે. તો જીજી હોસ્પિટલના તબીબોની પેનલ મારફતે પી.એમ. કરાવાયા બાદ પલેજાના મૃતદેહને પરિજનોને સોંપાયો હતો.

Advertisement

જે બનાવ સંદર્ભે એડવોકેટ હારુન પલેજાના મૃતદેહનું જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં જીજી હોસ્પિટલના તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરી સમગ્ર પ્રક્રિયાની વિડીઓગ્રાફી પણ કરવામાં આવી હતી. આ વેળાએ જી.જી. હોસ્પિટલના પી.એમ. રૂૂમના દ્વારે બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા, અને ભારે માતમ છવાયો હતો. ત્યારબાદ એડવોકેટના મૃતદેહને દફનવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement