ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગે

05:00 PM Jun 13, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદમા બનેલી ભયંકર ઘટનાનાં મૃતકોનાં પરીવારો સ્વજનની ઓળખ અને મૃતદેહ લેવા માટે સિવિલ આવતા કરૂણાસભર દશ્યો સર્જાયા છે. કોણ-કોને સાંત્વના આપે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે પોલીસ અને નર્સીંગ સ્ફાટ દ્વારા માવતા દાખવતા તમામ સ્વજનોને સાંત્વના પાઠવી અને ચા, પાણી, નાસ્તાની સેવા પુરી પાડી રહયા છે.

Advertisement

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે, પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ સાથેની સઘન અને શ્રેષ્ઠત્તમ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી છે. નિષ્ણાત તબીબોના સતત મોનિટરિંગ સાથે નર્સિંગ સ્ટાફ આ દાઝી ગયેલા દર્દીઓની સેવા- સુશ્રુષા કરી રહ્યો છે .

Tags :
AhmadabadAhmadabad NEWSAhmadabad Plane CrashAhmedabadAhmedabad Civil HospitalAir India Air India Plane Crashplane craspolice
Advertisement
Next Article
Advertisement