For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત એરપોર્ટના રન-વે પર ટ્રક સાથે અથડાયું પ્લેન, 160 પ્રવાસીઓને મોતના દર્શન થયાં

06:05 PM Mar 15, 2024 IST | Bhumika
સુરત એરપોર્ટના રન વે પર ટ્રક સાથે અથડાયું પ્લેન  160 પ્રવાસીઓને મોતના દર્શન થયાં

Advertisement

સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ સાથે મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ છે. ગઇકાલે રાત્રે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રનવેથી એપ્રેન તરફ જઇ રહી હતી ત્યારે એક વિંગ રન-વેની સાઇડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ જેના કારણે આ દુર્ઘટના સર્જાય હતી.

જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. 180 સીટર ફ્લાઇટમાં 160 યાત્રીઓ હતા. સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે ઘટનામાં જાનહાનિના સમાચાર આવ્યા નહી. ટ્રક સાથે વિમાનની પાંખ અથડાવવાના કારણે વિમાનની પાંખને સામાન્ય નુકસાન પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના પગલે વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને એરપોર્ટ પર ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. મુસાફરો એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી બદલ ગંભીર ટીકા કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement