For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૌલેશભાઇ ઉકાણીના માતુશ્રીની સ્મશાનયાત્રામાં અગ્રણીઓ જોડાયા

04:11 PM Jul 30, 2024 IST | Bhumika
મૌલેશભાઇ ઉકાણીના માતુશ્રીની સ્મશાનયાત્રામાં અગ્રણીઓ જોડાયા
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ ભીની આંખે લાભુબેનને અર્પી શ્રદ્ધાંજલી

શહેરના નામાંકીત બાન લેબ્સ પરિવારના ડાહ્યાભાઇ પટેલના પત્ની લાભુબેન (ઉ.વ.90)નું ગઇકાલે અવસાન થતા ઉકાણી પરિવારમાં શોક છવાયો છે. ગઇકાલે સદ્ગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ડાઘુઓએ જોડાઇને સદ્ગતને ભીની આંખે શ્રધ્ધાંજલી અર્પી હતી.

Advertisement

અંતિમ યાત્રામાં જોડાયેલા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, પુષ્કર પટેલ તેમજ વિવિધ સમાજના આગેવાનોને સદ્ગતના ડો.ડાહ્યાભાઇ પટેલ, મૌલેશભાઇ ઉકાણી સહીતના પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ ઉકાણી પરિવારજનોને ટેલીફોનીક શાંત્વના આપીને સદ્ગત લાભુબેનને શ્રધ્ધાંજલી આપી હતી.

ઉકાણી પરિવારમાં લાભુબેનના અવસાનથી ડાહ્યાભાઇ, મૌલેશભાઇ, ડો.નટુભાઇ, અમિતાબેન, સોનલબેન, શિતલબેન, લલિતભાઇ, ઉષાબેન, ડો.કિર્તિભાિ, માધુરીબેન વિગેરેને વિલાપ કરતા છોડી ગયા હતા.
વયોવૃધ્ધ અવસ્થાને કારણે સદ્ગત લાભુબેન ધર્મપરાયણતાયુકત જીવન ગાળતા હતા. જીવનની અંતિમ ક્ષણો દરમિયાન તેઓએ સત્સંગને જાળવી રાખ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement