ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદમાં PIને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશનની હદ છોડવાની મનાઈ

10:38 AM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉચ્ચ અધિકારીઓએ બપોરે 12થી 4 મુલાકાતીઓને સાંભળવાના રહેશે: PIએ દરરોજ સાંજે 6થી 9 પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવાનું

અમદાવાદમાં અસામાજિક તત્વો, ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા થતાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત અર્થે આવતા નાગરિકોની વાતને પોલીસ અધિકારી સાંભળીને તેના પર કાર્યવાહી કરી શકે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કચેરી હુકમ આપવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇએ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. તેમજ દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવાની રહેશે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહી મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે.

અને મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે અને અરજી મેળવી અધિકારી સમક્ષ જરૂૂરી કાર્યવાહી માટે વંચાણે મુકવાની રહેશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર (થાણા અમલદાર)ને કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. આ સુચનાઓ અમદાવાદ શહેરની તમામ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન (ક્રાઇમ, સાયબર, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામ)ને લાગુ પડશે. અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ અનુસાર, પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતા મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે.

અને મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. ા ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા દરમ્યાન પોતાના થાણા વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. તેમજ આ બાબતે નાયબ પોલીસ કમિશનરઓએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે. પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ મથક વિસ્તારમાં હાજર રહી પોલીસ સ્ટેશન/તપાસને લગતા અન્ય કામો કરવાના રહેશે. તેઓ પોતાનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાત્રે 12 વાગ્યા સુધી કોઇપણ સંજોગોમાં છોડશે નહી. જો તેઓને કોઇ આકસ્મિક કારણોસર તે સમય દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તાર છોડવાની જરૂૂરીયાત ઉપસ્થિત થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનરની પૂર્વમંજુરી મેળવ્યા બાદ જ વિસ્તાર છોડી શકશે.

નાઈટ રાઉન્ડ માટે છૂટ
જયારે થાણા અમલદારની નાઇટ રાઉન્ડ હોય ત્યારે તેઓ રાત્રે 9.30 વાગે પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી શકશે અને રાત્રે 11 વાગે રાબેતા મુજબ નાઇટ રાઉન્ડમાં નીકળવાનું રહેશે. બાદ નિયમ મુજબ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ રાઉન્ડ કરવાની રહેશે. તમામ થાણા અમલદારોએ જે દિવસે નાઇટ રાઉન્ડ હોય તેના બીજા દિવસે બપોરે 12.30 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ ઉપર પહોંચી જવાનું રહેશે તેમજ જ્યારે નાઇટ રાઉન્ડ ના હોય તો સવારે 10 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર પહોંચવાનું રહેશે.

Tags :
Ahmedabad PoliceDemolitiongujaratgujarat news
Advertisement
Next Article
Advertisement