For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્કૂલ ઓફ એકસેલન્સના નામે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવાનો પરવાનો

11:53 AM Jul 03, 2025 IST | Bhumika
સ્કૂલ ઓફ એકસેલન્સના નામે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવાનો પરવાનો

શિક્ષણ વિભાગનો ડ્રાફટ તૈયાર, 11 મી સુધીમાં અભિપ્રાય આપવા તાકીદ, પાછલા બારણે વાલીઓને લૂંટવાનો તખ્તો તૈયાર

Advertisement

સરકારી શાળાઓની સતત ઘટતી જતી સંખ્યા અને ખાનગી શાળાઓની મનમાની વચ્ચે હવે સરકારે અમુક યુનિવર્સિટીઓની માફક ખાનગી શાળાઓને પણ સ્કૂલ ઓફ એકસેલન્સનો દરજજો આપી ઇચ્છે તેટલી ફી ઉઘરાવવાનો પરવાનો આપવા પ્રયાસ શરુ કરતા વાલીઓએ લુંટાવા તૈયાર રહેવુ પડશે. રાજ્યમા હવે આગામી દિવસોમાં સ્વનિર્ભર સ્કૂલોને પણ સ્કૂલ ઓફ એક્સેલન્સનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્વનિર્ભર સ્કૂલો પૈકી જે સ્કૂલો આ પ્રકારનો દરજ્જો મેળવવા ઇચ્છતી હોય તેમની પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરીને લોકમત માટે અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે આગામી 11મી જુલાઇ સુધીમાં સંબંધિત તમામને અભિપ્રાય આપવા તાકીદ કરવામા આવી છે.

રાજ્યમા કેટલીક યુનિવર્સિટીઓને સ્કૂલ ઓફ એક્સેલન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે આજ પધ્ધતિ પ્રમાણે રાજ્યની સ્વનિર્ભર સ્કૂલો પૈકી કેટલીક સ્કૂલોને પણ આ પ્રકારનો દરજ્જો આપવાની તૈયારી શરૂૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ કે, આ પ્રકારનો દરજ્જો ધરાવતી સ્કૂલને ફી કમિટીમાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે કે આ દરજ્જો મેળવ્યા બાદ સ્કૂલો પોતાની રીતે ફી નક્કી કરી શકશે. આ માટે કેટલાક માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી ધો.10 અને 12નું બોર્ડનું પરિણામ 99 ટકાથી 100 ટકા જેટલુ હોવું જરૂૂરી છે.

Advertisement

આ જ રીતે ધો.10ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા 60 જેટલી હોય અને ધો.12માં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 60 હોય તે જરૂૂરી છે. શાળામાં અભ્યાસ કરતાં ધો.10ના વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 80 ટકા હોવું જરૂૂરી છે. આજ રીતે ધો.12ના વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 75 ટકા હોય તે જરૂૂરી છે. મહત્વની વાત એ કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઇ બોર્ડ કે અન્ય બોર્ડની સ્કૂલોમાં એકસરખા માપદંડો લાગુ કરવામાં આવશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સેલેન્સનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હોવાથી આગામી દિવસોમાં સ્કૂલો આ પ્રકારનો દરજ્જો મેળવવા પ્રયાસ કરશે.

જેના કારણે સ્કૂલોના પરિણામમા સુધારો થશે. સરેરાશ પરિણામ સુધારવા માટે શાળાઓ વ્યક્તિગત વિદ્યાર્થીઓના પરિણામ પર ધ્યાન આપશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મુખ્ય સચિવ મુકેશ કુમારે વ્યાપક ધ્યેય સમજાવ્યું.

ઉદ્દેશ શાળાઓને 100% પાસ દર હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણના સામાન્ય નોંધણી ગુણોત્તરમાં સુધારો કરવાનો છે તેમણે ઉમેર્યું કે તેઓ વિદ્યાર્થીઓને વધુ વિદ્યાર્થીઓ, એક વર્ગમાં ઓછામાં ઓછા 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અને NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રદર્શન સુધારવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. સ્વાયત્તતા હોવા છતાં, કુમારે પુષ્ટિ આપી કે યોગ્ય દેખરેખ ચાલુ રહેશે.

SoE દ્વારા દર વર્ષે ફીમાં પ્રસ્તાવિત વધારાને ફિલ્ટર કરવા માટે CoE જેવી જ એક અપીલ સત્તામંડળની રચના કરવામાં આવશે આ પહેલનો હેતુ રાજ્યભરમાં શાળા શિક્ષણના ધોરણોને વધારીને વિકાસિત ભારત-2047ના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.

સ્ક્રૂટિની કમિટીના કાર્યો શું રહેશે
સ્કૂલો દ્વારા કરવામાં આવેલી અરજીઓ બાદ કમિટી દ્વારા ધો.10 અને 12ના પરિણામો અને પાંચ વર્ષની વિકાસ યોજનાઓ સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સ જાહેર કરવા માટે અરજીમાં રજૂ કરાયેલા ફી માળખાની પણ તપાસ કરશે. કમિટી સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે જાહેર થનારી શાળાઓની વિગતો સરકારને સુપ્રત કરેશે.આ સિવાય જો સ્કૂલ ઓફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા પછીના વર્ષોમાં લાયકાતના માપદંડો પુર્ણ કરવામાં નિષ્ફળ રહે તો એક વર્ષનો સમય આપવામાં આવશે. અન્યથા તેને યાદીમાંથી દૂર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement