ધર્મેન્દ્ર કોલેજમાં રાજ્યશાસ્ત્રમાં પ્રાધ્યાપકની કાયમી નિમણૂક કરો: વિદ્યાર્થીઓની રજૂઆત
રાજકોટ શહેરની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. છતાં રાજ્યશાહત્રના પ્રોફેસરની નિમણુંક નહીં થતાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર મય બની ગયું છે. આબાબતે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી તાકીદે નિવેડો લાવવા માંગ કરી છે.
રાજકોટ શહેરની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે કલેક્ટર કચેરીએ ધસી જઈ રાજ્યશાસ્ત્રના પ્રોફેસરની તાકીદે નિમણુંક કરવા રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં હજુ સુધી શિક્ષણ વિભાગ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસરની નિમણુંક કરી નથી જેના કારણે 43 જેટલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે.
આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા પ્રોફેસરની નિમણુંક કરી હતી પરંતુ આ પ્રોફેસર હજુ સુધી હાજર થયા નહીં હોવાનું અને તેમનો સંપર્ક કરતા અન્ય કામમાં રોકાયા હોય તેવા બહાના બતાવતા હોવાનું જણાવ્યું હતું.