રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાનના કાર્યક્રમમાંથી પરત ફરતી બસ અડફેટે રાહદારી યુવાનનું મૃત્યુ

05:34 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાયો હતો અને જે કાર્યક્રમમાં થી પરત ફરતી પોરબંદરની ખાનગી બસે રાજકોટમાં કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકાના કાંગસીયાળીની સીમમાં જય ખોડીયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં રહી ત્યાં જ કામ કરતો મુળ નેપાળનો પ્રિમ પ્રકાશ અતિરામભાઈ બીક નામનો 42 વર્ષીય યુવક ગત રાત્રે હોટેલના ઓર્ડર અર્થેનાં કામે રાજકોટ આવ્યો હતો જે કોઠારીયા સોલ્વન્ટ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ વેગે આવતી જીજે 09 એક્સ 9129 નંબરની ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે યુવકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટના અંગે આજીડેમ પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યારે બસનો કબજો લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી.પ્રાથમિક પૂછપરછમાં અકસ્માત સર્જનાર બસ પોરબંદર સુદામા ડેરીની છે અને ગઈકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં થી બસ કાર્યકર્તાઓને લઈને પરત ફરતી ફરી રહી હતી ત્યારે કોઠારીયા સોલવન્ટ પાસે રાહદારી યુવકને કચડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે આજીડેમ પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી હાથધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement