પાણીજન્ય રોગચાળાનો ફૂંફાડો : ઝાડા-ઊલટીથી વૃદ્ધાનું મોત
ચોમાસાની શરૂઆત થતાં વરસાદના બદલે ફક્ત વાદળછાયુવાતાવરણ અને ઝાપટાઓ વરસતા મચ્છરોનો ત્રાસ બેફામ બન્યો છે. જેના કારણે ડેંગ્યુ, મેલેરિયા અને ટાઈફોડના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડહોળુ પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો નોંધાયો છે. અને જામનગર રોડ ઉપર મનહરપુર-1માં રહેતા 90 વર્ષીય વૃદ્ધાનું ઝાડા-ઉલ્ટી થતાં સિવિલમાં દાખલ કરવામાં આવેલ જેનું આજે મોત નિપજતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી કાર્ય વધુ તેજ વધુ બનાવી મચ્છર ઉત્પતિ અને ગંદકી સબબ 537 આસામીઓને નોટીસ ફટકારી રૂા. 46,850નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 721 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 384 અને કોર્મશીયલ 168 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.46,850/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 1010 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.