ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકત

04:24 PM Jan 21, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જેમાં 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે. આ ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા, ધોરીયો, ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.

જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવ્યા છે.

આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા? તે બાબતે તંત્ર દ્વારા વિવિધ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
DemolitionDwarkadwarka newsgujaratgujarat newsislands
Advertisement
Next Article
Advertisement