સિવિલમાં દર્દીને લોહીની જરૂરિયાત ઊભી થતાં ઊડ આર્મીને બ્લડ ડોનેટ કર્યુ
05:02 PM Jul 12, 2024 IST
|
admin
Advertisement
Advertisement
રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે રક્તદાન કરવાથી માનવતા પૂર્ણકાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. અને કોઈકને નવું જીવન પ્રાપ્ત થાય છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાકેર સેન્ટરમાં પાંચમા માળે સારવાર લઈ રહેલા દર્દી હાર્દિકભાઈ મકવાણાને લોહીની જરૂર હોય જેથી તાત્કાલીક લોહી ન મળતા ત્યાં ફરજ પર હાજર એક્સ આર્મીમેન ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ દર્દીને તુરંત બ્લડ ડોનેટ કરી દર્દી હાર્દિકભાઈનો જીવ બચાવ્યો હતો. આ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ એક માનવતા ભર્યુ કામ કર્યુ હતું. તેમજ આ કામથી પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીર : મુકેશ રાઠોડ)
Next Article
Advertisement