For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણ નજીક અકસ્માતમાં એકનું મોત, આઠ ઘાયલ

01:43 PM Feb 19, 2024 IST | Bhumika
જસદણ નજીક અકસ્માતમાં એકનું મોત  આઠ ઘાયલ

જસદણના લીલાપુરરોડ પર રવિવારે સાંજે બે કારો સામસામે અથડાતાં જેમાં આઠ જેટલાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને રાજકોટના એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજતાં આ અકસ્માતમાં થોડીવાર માટે હાઈ વે રકતરંજિત અને ટ્રાફીકજામ સર્જાતા ભારે અફડાતફડી સર્જાય હતી રવિવારે સાંજે લોકો રજાના મુડમાં હતાં. ત્યારે જસદણ સુન્ની મુસ્લિમ સમાજના હારુનભાઈ ડાયાતર, રફીકભાઈ, આસિફભાઈ, ફરીદભાઈ, સત્તારભાઈ સહિતનાં 25 જેટલાં મુસ્લિમ સમાજના લોકો આ અક્સ્પાતના ઘટનાસ્થળેથી લઈ છે ક સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અને વધું સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા ત્યાં સુધી ઘાયલોની મદદમાં રહી ફરજનો ભાગ સમજી માનવતા મહેંકાવી હતી હોસ્પિટલમાંઈજાગ્રસ્તોની સંખ્યા વધું હોય એટલે સ્વભાવિક છે કે વધું એમ્બ્યુલન્સની જરૂૂર પડે ત્યારે શહેરની વેલકમ ચેરિટેબલ ટ્રસ્ટની બે એમ્બ્યુલ્સ પણ વધું સારવાર માટે ઘાયલો માટે જીવતદાન જેવી પુરવાર થઈ હતી આમ ઈજાગ્રસ્તોને મુસ્લિમ સમાજ દ્વારા તમામ સવલત મળી જતાં જસદણ સરકારી હોસ્પિટલમાં કોમી એકતાના દ્રશ્યો તાદ્રશ્યો ખડાં થયાં હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement