ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત

12:06 PM Jul 07, 2025 IST | Bhumika
Advertisement

રમતા-રમતા નહેરમાં પડી જતા બનેલો બનાવ : શ્રમિક પરિવાર પર આભ ફાટયું

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં ભારે કરુણાતિકા છવાઇ છે. શ્રમિક દંપત્તિ વાડીમાં ખેતી કામ કરી રહ્યું હતું, જે દરમિયાન તેનું દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીની નહેર માં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા નરેન્દ્ર સિંહ હિંમતસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મહેશભાઈ ડામોર નામના શ્રમિક યુવાન પોતે પોતાની પત્ની સાથે વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા, અને બાજુમાં દોઢ વર્ષનો પુત્ર મહેશભાઈ ડામોર કેજે રમી રહ્યો હતો દરમિયાન અકસ્માતે રમતા રમતા ખેતરની બાજુમાં આવેલી પાણીની નહેરમાં પડી જતા ડૂબી જવાના કારણે તેંનું કરૂણ મૃત્યુ છે.

આ બનાવ પિતા અંગે મહેશભાઈ સવરાભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવનાર સ્થળે પહોંચી જઇ મૃતદેહ નો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsKalavadKalavad news
Advertisement
Next Article
Advertisement