રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માંડાડુંગરમાં ચોકીદાર વૃદ્ધ અને પ્રૌઢાના હાર્ટએટેકથી મોત

03:39 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજયભરમાં ર્હાટએટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય થંભી ગયા હતા. આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં ચોકીદાર વૃધ્ધ અને પ્રૌઢાના હાર્ટએટેકથી મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર પાસે દિનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરયામાં રહેતા મણીલાલ રાજાભાઇ યાદવ (ઉ.વ.61) નામના વૃધ્ધ શીવમ ટુલ્સ નામના કારખાનામાં ચોકીકદારી કરતા હતા. આજે સવારે ચા પીવા જતા બેભાન થઇ ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું. મૃતક વૃધ્ધ મુળ એમ.પી.ના વતની અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

જયારે બીજા બનાવમાં માંડા ડુંગરમાં ભીમરાવનગર શેરી નં.18માં રહેતા જશુબેન પ્રવિણભાઇ માલણ (ઉ.વ.58) નામના પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએકેટ આવતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement