For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડાડુંગરમાં ચોકીદાર વૃદ્ધ અને પ્રૌઢાના હાર્ટએટેકથી મોત

03:39 PM Sep 30, 2024 IST | Bhumika
માંડાડુંગરમાં ચોકીદાર વૃદ્ધ અને પ્રૌઢાના હાર્ટએટેકથી મોત
Advertisement

રાજયભરમાં ર્હાટએટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય થંભી ગયા હતા. આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં ચોકીદાર વૃધ્ધ અને પ્રૌઢાના હાર્ટએટેકથી મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર પાસે દિનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરયામાં રહેતા મણીલાલ રાજાભાઇ યાદવ (ઉ.વ.61) નામના વૃધ્ધ શીવમ ટુલ્સ નામના કારખાનામાં ચોકીકદારી કરતા હતા. આજે સવારે ચા પીવા જતા બેભાન થઇ ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું. મૃતક વૃધ્ધ મુળ એમ.પી.ના વતની અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

જયારે બીજા બનાવમાં માંડા ડુંગરમાં ભીમરાવનગર શેરી નં.18માં રહેતા જશુબેન પ્રવિણભાઇ માલણ (ઉ.વ.58) નામના પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએકેટ આવતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement