રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હે ભગવાન! ભાવનગરમાં તસ્કરોએ સ્મશાનને પણ ન મુક્યું, શબને અગ્નિદાહ દેવાના ચૂલાની ચોરી

11:26 AM Oct 18, 2024 IST | admin
Advertisement

મોક્ષમંદિરના ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી : પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી

Advertisement

તસ્કરો મંદીરોમાં ચોરી કરતા હોવાના બનાવો બને છે. પરંતુ હવે તસ્કરો મોક્ષધામ એટલે સ્મશાનગૃહને પણ નિશાન બનાવી મૃતદેહને બાળવા માટેના પુલાઓ લોખંડના પતરાઓ વિગેરેની ચોરી કરવા લાગ્યા છે. આવો બનાવ ભાવનગરના ચકવાડી ગામે બન્યો છે. જયાં ગામમાં આવેલ સ્મશાનમાં રાત્રે ત્રાટકી તસ્કરો સ્મશાનમાં રહેલા ત્રણ પુલાઓ સહિતની વસ્તુઓની ચોરી કરી છુટયા હતા.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર નજીકના અકવાડા ગામે આવેલ મોક્ષમંદીર (સ્મશાન) માં રહેલ શબ બાળવાના ત્રણ ચુલાઓ ,પાણી કાઢવાની મોટર, માંડવાના લોખંડના ત્રણ પતરા વગેરેની તસ્કરો ચોરી કરી નાસી છુટયા હતા.

આ બનાવ અંગે મોક્ષમંદીર ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ વશરામભાઈ કંટારીયાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નાંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દીવાળીના તહેવારો નજીક આવતા ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવે છે. ઘરમાં, દુકાનમાં ચોરીની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ હવે સ્મશાન ગૃહમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે.

Tags :
bhavnagargujaratgujarat newstheft
Advertisement
Next Article
Advertisement