ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નિખિલ પિલોજપરાને છબીકલા ક્ષેત્રે 2021-22નો ગુજરાત ગૌરવ પુરસ્કાર

04:03 PM Sep 29, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા છબીકલા (ફોટોગ્રાફી) ચિત્રકલા તથા શિલ્પ કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 26 કલાકારોને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલમાં તારીખ 24-09-2025 ના રોજ યોજાયો. સાથે સાથે ર4 કલાકારોની પાંચ પાંચ સુંદર કલાકૃતિનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

Advertisement

આ તકે ગુજરાત રાજ્ય પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ફ્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે તમામ 26 કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં પ્રત્યેક કલાકારોને 51,000/- ની ધન રાશીનો ચેક સન્માન પત્રથી સન્માનિત કરાયા હતા.

જ્યારે ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર મીરાબેન પટેલ એ તમામ કલાકારોને સાલ ઓઢાડી સન્માનિત કરી અને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ ગુજરાત રાજ્ય લલિતકલા ના અનુપકુમાર પાંડે દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના નિખિલ એમ. પીલોજપરાનું છબીકલા (ફોટોગ્રાફી) ક્ષેત્રે વિશિષ્ટ યોગ્ય દાન બદલ ગુજરાત રાજ્યનો ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

Tags :
gujaratGujarat Gaurav Awardgujarat news
Advertisement
Next Article
Advertisement