રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટીપી, ફાયર, પોલીસની બેદરકારીથી અગ્નિકાંડ બન્યો: રિપોર્ટ

04:47 PM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મ્યુનિ. કમિશનરો
હોય પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારી અને સેવકોનું સુપરવીઝન અને ક્ધટ્રોલ સેક્શન 67 મુજબ કમિશનરની જવાબદારી છે. આ જવાબદારી ધ્યાને લઈને હાઈકોર્ટે ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીના રિપોર્ટ પર અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવને પગલા ભરવાનો હુકમ કર્યો છે. 25 જૂલાઈના રોજ આગામી સુનાવણી નિર્ધારીત કરવામાં આવી છે. જેમાં પગલા ભરીને એફીડેવીટ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ ઓર્ડરમાં સમગ્ર ઘટના ક્રમ પણ ઉજાગર થયો છે. જેમાં આરએમસીના ટીપી વિભાગ, ફાયર વિભાગ અને પોલીસ વિભાગની પણ બેદરકારી સામે આવી છે. હાઈકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, 2020ના અંતથી લઈને 2023ના મધ્યભાગ સુધીમાં આ જગ્યાએ 966.20 ચો.મી. બાંધકામ વધીને 4,983.30 ચો.મી. થઈ ગયું હતું. પરંતુ કોઈ પણને ધ્યાને આ વાત આવી ન હતીં. છેક 11-4-2023ના રોજ બે અલગ અલગ નોટીસ આપવામાં આવી હતી. જેમાં એક ગેરકાયદેસર બાંધકામ અટકાવવા અને બીજી શા માટે આ બાંધકામ તોડી ન પાડવું તે બાબતની હતી.

પોલીસ વિભાગની બેદરકારી


TRP ગેમ ઝોન ધમધમતું થયુ ત્યારે તા.02/03/21ના રોજ જે.એસ.પાર્ટી પ્લોટના નામે ધવલ કોર્પોરેશન દ્વારા પર્ફોમન્સ લાયસન્સ માંગવામાં આવ્યું હતું. જેના માટે તત્કાલીન તાલુકા પીઆઇએ ફાયર એનઓસી વગર તા.15/4/21ના રોજ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જેને પરીણામે તા.4/6/21ના રોજ લા.નં.1/2021 કાઢી આપવામાં આવ્યુ હતું. બાદમાં તા.20/1/22 અને 25/4/23ના રોજ રીન્યુ પણ કરી આપવામાં આવ્યા. આ જ જગ્યા પર તા.31/7/23ના રોજ રેસવે એન્ટરપ્રાઇઝ દ્વારા મનોરંજન લાયસન્સ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન પીઆઇ દ્વારા તા.17/11/23ના રોજ હકારાત્મક અભિપ્રાય અપાયો હતો. ગેમ ઝોન ચાલુ થયાથી લઇને દુર્ઘટના સુધી લાયસન્સ આપતી વખતે કે, ત્રણ-ત્રણ રીન્યુઅલ વખતે ફાયર એનઓસી બાબતે આરએમસીનું ધ્યાન દોર્યું ન હતું કે, ફાયર એનઓસી માંગી ન હતી.

RMCના ફાયર વિભાગની બેદરકારી
તા.25 મેના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બન્યો તેના લગભગ આઠ મહીના પહેલા ટીઆરપી ગેમઝોન ખાતે સામાન્ય આગની ઘટના બની હતી ત્યારે ફાયર વિભાગને કોલ આવતા મવડી ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઇટર મોકલવામાં આવ્યું હતું. પરંતુ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા ગેમઝોનના સ્ટાફ દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી. આ ઘટના બાદ ફાયર એનઓસી છે કે કેમ તે અંગેની તપાસ કરાઇ નહોતી. આ ઉપરાંત આ ઘટનાને કમિશનરના ધ્યાને મુકવામાં પણ ફાયર વિભાગ નિષ્ફળ નીવડતા ફાયર વિભાગના અમુક અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot firerajkot newsTRP Game zone Fire
Advertisement
Next Article
Advertisement