રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આહીર ગરબા મંડળ દ્વારા આવતીકાલે નવરાત્રી મહોત્સવ

04:52 PM Oct 11, 2024 IST | admin
oplus_2097152
Advertisement

સિઝન્ટ હોટેલમાં યોજાનાર મહોત્સવમાં જોડાવા આહીર સમાજને અનુરોધ

Advertisement

રાજકોટ ખાતે મૉં અંબા અને દ્વારકાધીશનાં આશીર્વાદથી આહીર ગરબા મંડળ (એજીએમ) દ્વારા એક દિવસીય નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિનું આયોજન તા 12/10/2024 શનિવારના રોજ સાંજે 8 વાગ્યે સીઝન્સ હોટેલ, અવધ રોડ પર રાખવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં 10 હજાર જેટલી સમાજની મહીલાઓ અને ભાઇઓ પરંપરાગત વેશમાં કરોડોના ઘરેણા સાથે આ નવરાત્રી મહોત્સવમાં અમિત ધોરડાનાં સુરે ગરબે ઘુમીને માં અંબાની આરાધના કરશે.

દ્વારકા ખાતે આહીરાણી મહારાસ બાદ રાજકોટમાં સૌપ્રથમ વખત આહીર સમાજની 10 હજારથી વધુ બહેનો તથા ભાઈઓ પરંપરાગત વેશ સાથે કરોડોના ઘરેણા સાથે ગરબે ઘૂમ છે. આ ગરબાનું આયોજન સૂરજભાઈ ડેર, વિજયભાઈ મકવાણા, હાર્દિકભાઈ કાનગડ દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત વેશ પહેરી અને મોટી સંખ્યામાં જોડાવા તેમજ આહિર સમાજના ભાઈઓ બહેનો માટે રાસોત્સવમાં વિનામુલ્યે પ્રવેશ રખાયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

Tags :
bog navratrifestivalgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement