ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈ

11:40 AM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂૂ કરવામાં આવી હોય અને હજુ 50% જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવી હોય ત્યાં જ જે નાફેડ અને સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યું હોય ત્યારે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીના માર્કેટિંગ અને નાફેડ તથા સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહ્યો હોય તેમાં આજરોજ મગફળી ભરવા માટેના કંતાનો ના હોવાથી મગફળીની ખરીદી આજરોજ બંધ કરવાની ફરજ પડી છે નાફેડાને સરકાર દ્વારા કંતાનો (બારદાન) નો સ્ટોક ખાલી થઈ જવાથી ખેડૂતો નો મગફળીનો ટેકાના ભાવે ખરીદી આજરોજ બંધ રાખવાની ફરજ પડી છે .

Advertisement

જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળેલ છે કારણ કે ખેડૂતો મગફળી લઈને નાફેદ દ્વારા જે ખરીદી થઈ રહી છે ત્યાં સ્થળ પર વાહનો લઈને મગફળી દેવા માટે આવ્યા હોય પણ અચાનક કંનતાનો (બારદાન) ખાલી થઈ જવાથી અચાનક મગફળી ની ખરીદી બંધ કરવી પડી તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી અને જ્યારે કંનતાનો (બારદાન) નો સ્ટોક આવશે ત્યારે પાછી ખરીદી શરૂૂ કરવામાં આવશે તેવુ નાફેડ અધિકારી એ જણાવ્યું હતું હજુ 50% જ એટલી ખરીદી મગફળીની કરવામાં આવી છે ત્યાં જ કંનતાનો (બારદાન) ખાલી થઈ જવાની ફરીયાદ જોવાં મળેલ છે.

Tags :
dhorajiDhoraji newsgujaratgujart newsNAFED's groundnut
Advertisement
Next Article
Advertisement