ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તલાક બાદ ચિંતામાં મુસ્લિમ મહિલાનો એસિડ પી આપઘાત

04:55 PM Jul 17, 2024 IST | Bhumika
oplus_2097152
Advertisement

કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે જુની ખોડીયાર સોસાયટીમાં રહેતા મુસ્લિમ મહિલાએ તલાકની ચિંતામાં એસીડ પી લઇ આપઘાત કરી લીધો હતો. મહિલાના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Advertisement

બનાવ વિગતો અનુસાર, નંદાહોલ પાસે જુની ખોડીયાર સોસાયટીમાં રહેતા રુક્સાનાબેન ઇકબાલભાઇ લિગડીયા (ઉ.વ.30) તેમના ઘરે હતા. ત્યારે તેઓએ એસીડ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડી હતી. ત્યાં તેણીનું સારવારમાં મોત નીપજ્તા હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ નિકોલાએ તુરંત ભક્તિનગરને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ ડી.જી.રાજપરાએ પહોંચી કાગળો કર્યા હતા. પોલીસમાંથી જાણવા મળ્યું હતુ કે, તેમના પિતા રીક્ષા ચાલક છે અને રુક્સાનાબેનનાં નિકાહ સોહીલ નામના યુવાન સાથે થયા હતા. તેમના થકી સંતાનમાં એક દીકરી છે. દંપતી વચ્ચે મનમેળ નથતા થોડા સમય પહેલા તલાક થયા હતા. તેમની દીકરી હાલ પતિ પાસે છે. તલાકની ચિંતામાં આ પગલુ ભરી લીધુ હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement