ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કુટેવે જીવ લીધો : વાંકાનેરમાં યુવાને દારૂના નશામાં એસિડ પી લેતાં મોત

12:27 PM Oct 03, 2025 IST | Bhumika
Advertisement

વાંકાનેરમાં રહેતાં યુવાને દારૂના નશામાં એસિડ પી લીધું હતું. યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરનાં ગાત્રાળનગરમાં રહેતાં મનીષ ભરતભાઈ ચાવડા નામના 30 વર્ષના યુવાને બપોરના અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે દારૂના નશામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં વેરાવળના ભાલકા ગામે રહેતાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉ.65)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement