ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

12:00 PM Jan 06, 2025 IST | Bhumika
Advertisement

ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સેવા આપી રહ્યા છે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા.

Advertisement

શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી.

આ તકે મુકેશભાઈ અંબાણી અને અનંતભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની શ્રી સોમનાથ મહાદેવની શ્રી સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજાનો સંકલ્પ લીધો હતો. તેમણે સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ તકે તેમણે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દક્ષિણ ધ્રુવ દિશા સૂચક સ્તંભના દર્શન કરીને ભારતના ઐતિહાસિક અને ભૌતિક વારસાના પ્રતિ સમ્માન અને અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે એ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભાવો નું અભિવાદન કર્યું હતું.

Tags :
gujaratgujarat newsMukesh AmbaniSomnathSomnath Mahadev
Advertisement
Next Article
Advertisement