For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાના વિરહમાં પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત

12:40 PM Dec 28, 2023 IST | Bhumika
માતાના વિરહમાં પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીના રકાળેશ્ર્વરની ઘટના : જનેતાનું કોરોના કાળમાં મૃત્યુ થયું ત્યારથી ગુમસુમ રહેતી યુવતીએ પગલુ ભર્યું

Advertisement

મોરબીના રફાળેશ્વરમાં માતાના વિયોગમાં પુત્રીએ એસિડ પી ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વરમાં રહેતી જાગૃતિબેન ગજાનંદભાઈ જોષી નામની 23 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે સવારના સમયે એસિડ પી લાકડાની આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવતીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવતીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જાગૃતિબેનની માતા ભાવનાબેનનું કોરોના કાળમાં અવસાન થયું હતું ત્યારે જાગૃતિબેનને માતાનું મોઢું જોવા ન લઈ જતા તે ત્યારથી જ ગુમસુમ રહેતી હતી અને અંતે માતાના વિરહમાં આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement