ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મચ્છરો બેફામ: ડેન્ગ્યુ, કમળાના કેસમાં વધારો

04:17 PM Jul 28, 2025 IST | Bhumika
Advertisement

રહેાણાંક અને કોમર્શિયલના 347 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ ફટકારાઇ નોટિસ

Advertisement

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આંકડાઓ જાહેર કર્યા છે. જે મુજબ વરસાદી વાતાવરણના કારણે મચ્છરો બેફામ બનતા ડેન્ગ્યું 1, ટાઇફોઇડ 2, કમળો 3, શરદી ઉદરસ 780, સામાન્ય તાવ 957 અને ઝાડા ઉલ્ટીના 279 દર્દી નોંધાતા ફોગીંગ અને કોરા નાશક કામગીરી વધુ તેજ બનાવી મચ્છર ઉત્પદી કરતા 347 આસામીઓને નોટિસ ફટકારી હતી.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.21/7/2025 થી તા.27/07/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 45,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 798 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલી હતી.

ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 672 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 111 અને કોર્મશીયલ 284 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 63 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ રૂૂા.38,650/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલી હતી.

Tags :
dengue casesgujaratgujarat newsmosquitoesrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement